અમદાવાદ, 4 જુલાય : પુરી તથા અમદાવાદ સહિત સમગ્ર દેશમાં અષાઢી બીજનો અનેરો મહિમા છે. આ દિવસ એમ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે જાણીતો છે, પરંતુ આ દિવસે લોકો શુભ કાર્યો જેમ કે મકાન ખરીદવું, મહુરત કરવું, નવા વાહનો ખરીદવા આદિ પણ કરે છે. આ વર્ષે અષાઢી બીજ 10મી જુલાઈના રોજ છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ વર્ષે અષાઢી બીજે પુષ્ય નક્ષત્ર છે અને એક દાયકા બાદ આવો સુભગ સંયોગ થયો છે. એક દાયકા બાદ ભાગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં નીકળશે. અમદાવાદ સહિત ઓડિશાના પુરીમાં રથયાત્રા આ વખતે 10 જુલાઇના રોજ નીકળશે. આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં નીકળનાર આ રથયાત્રાને ભક્તો માટે વિશેષ લાભકારી માનવામાં આવી રહી છે, અને તેને જ્યોતિષિય દ્રષ્ટિએ પણ ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે પુષ્ય નક્ષત્રમાં નીકળવાની છે. આ નક્ષત્ર 9 જુલાઇથી સવારે 10.20 વાગ્યે શરૂ થઇને 10 જુલાઇના રોજ દિવસભર રહેશે. જ્યોતિષિય ગણના અનુસાર પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી વધારે મહત્વપૂર્ણ માન
Read more at: http://gujarati.oneindia.in/news/gujarat/after-one-decade-rathyatra-pushya-nakshatra-together-009812.html
Read more at: http://gujarati.oneindia.in/news/gujarat/after-one-decade-rathyatra-pushya-nakshatra-together-009812.html
No comments:
Post a Comment